ગુજરાત સરકારે શુક્રવારે ગુજરાત લગ્ન નોંધણી ધારા હેઠળ ઘડવામાં આવેલા નિયમોમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ સુધારાનો હેતુ માતાપિતાને જાણ કર્યા વગર ભાગીને થતાં પ્રેમલગ્ન અટકાવવાનો છે. નવા નિયમો મુજબ લગ્નની નોંધણી માટે હવે માતાપિતાની મંજૂરી ફરજિયાત બનશે.